UN મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે ઇઝરાયલ અને ફિલિસ્તાનમાં વધતી હિંસાની ટીકા કરી
Live TV
-
અગાઉના વર્ષોની સરખામણીએ આ અતિ-ભયાનક હિંસા સાબિત થઈ છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે ઇઝરાયલ અને ફિલિસ્તાનમાં વધતી હિંસાની ટીકા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે ઇઝરાયલ અને ફિલિસ્તાનમાં વધતી હિંસાની ટીકા કરી છે. જેનિનમાં બે દિવસમાં થયેલ લાંબા સૈન્ય હમલાંનો ઉલ્લેખ કરતાં ગુટરેસે આવેદન આપ્યું છે કે, અગાઉના વર્ષોની સરખામણીએ જમીન અને હવાઈદળ દ્વારા ઇઝરાયલના શરણાર્થીઓથી ભરેલ છાવણી ખાતે આ અતિ-ભયાનક હિંસા સાબિત થઈ છે.
ફિલિસ્તાન આરોગ્ય મંત્રાલયના મુજબ ઇઝરાયેલના કથિત આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન ત્રણ બાળકો સહિત 12 લોકો મૃત્યુ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 120 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 20 લોકોની હાલત ગંભીર છે. ઇઝરાયલ અને ફિલિસ્તાન ખાતે ઉગ્રવાદીજુથ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે આ સ્થિતિમાં ધણાં ઘર અને સંપત્તિઓને નુકસાન પહોંચ્યું હતું. એક રિપોર્ટ મુજબ આશરે ત્રણ હજાર લોકો ઘર છોડવા મજબૂર થયા હતા.
