UNSC માં અસ્થાયી સદસ્યતા માટે 55 દેશોનું ભારતને સમર્થન
Live TV
-
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 15 સદસ્યો હોય છે
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આજે અસ્થાયી સદસ્યતા માટે એશિયા પેસિફીકના 55 દેશોએ ભારતની દાવેદારીને સમર્થન આપ્યું છે. આ સંયુક્ત રાષ્ટ્રસંઘના ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને માહિતી આપી છે. આ માટે તેમણે ભારતથી 55 દેશોનો આભાર માન્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 15 સદસ્યો હોય છે જેમાં પાંચ દેશોને સ્થાયી સદસ્યતા તેમજ 10 દેશોને અસ્થાયી સદસ્યતાનો દરજ્જો મળે છે. સ્થાયી દેશોને વીટો લગાવવાનો અધિકાર હોય છે. જ્યારે અસ્થાયી દેશનો પોતાનો મંતવ્ય આપવાનો અધિકાર હોય છે.
