અસત્ય પર સત્યના વિજય પર્વ "દશેરા"ની દેશભરમાં ઉજવણી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવાસીઓને દશેરાના પર્વની શુભકામના પાઠવી હતી.
આજે અસત્ય પર સત્યના વિજય પર્વ દશેરાની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવાસીઓને દશેરાના પર્વની શુભકામના પાઠવી હતી. આજના દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો, અને વિજય પ્રાપ્ત કર્યો હતો. તેથી આજના દિવસને વિજયા દશમી તરીકે ઉજવવામાં આવે છે. આજે સમગ્ર ગુજરાતમાં ફાફડા જલેબી ખાવાનું વિશેષ મહત્વ છે. સમગ્ર ગુજરાતમાં લોકોએ ફાફડા જલેબીની લિજ્જત માણી હતી અને દશેરાના પર્વની ઉજવણી કરી હતી.
