સંસ્થાના 93મા સ્થાપના દિવસની ઉજવણી કરે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
Live TV
-
સર સંઘ ચાલક મોહન ભાગવતે દેશની આંતરિક અને બાહ્ય પરિસ્થિતિ અંગે છણાવટ કરતા તેમણે કહ્યું કે નિયમ અને કાયદો નહીં પરંતુ પોતાનો વ્યવહાર વ્યક્તિને બચાવશે.
આજે વિજયા દશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંસ્થાના 93મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યો છે. નાગપુરમાં તેઓ સ્થાપના દિવસ સાથે વિજયાદશમી પણ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે સંઘના સ્વયંસેવકોને સંબોધતાં સર સંઘ ચાલક મોહન ભાગવતે દેશની આંતરિક અને બાહ્ય પરિસ્થિતિ અંગે અવલોકન કરતાં, ઘણા મુદ્દે છણાવટ કરી હતી. તેમણે કહ્યું હતું કે નિયમ અને કાયદો નહીં પરંતુ પોતાનો વ્યવહાર વ્યક્તિને બચાવશે. સાંસ્કૃતિક જાગરણની પરંપરા દેશમાં સતત ચાલી રહી છે. દ્વીપો તેમજ સમુદ્રી સુરક્ષા ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું કે સેનાના મનોબળ અને તાકાતની સાથે સાથે આંતરિક સુરક્ષા વધુ મજબુત કરવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું કે યોજના તો બને છે પરંતુ તે સમયસર લાગુ થતી નથી.
