આજે કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક, ટોચના નેતૃત્વ અંગે થશે સમીક્ષા
Live TV
-
આજે કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં નેતૃત્વને લઇને ફરીથી પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને કહ્યું છે કે પાર્ટીમાં નેતૃત્વની જરૂરીયાત છે. તેમાં 5 પૂર્વ મુખ્યમંત્રી, અને કોંગ્રેસ વર્કીંગ કમિટિના ધણા સભ્યો છે.
વર્તમાન સાંસદ, પૂર્વ મંત્રી, સામેલ છે.આ પત્રમાં ટોચના નેતાઓએ ટોચના નેતૃત્વમાં ખાલીપણા અંગે ચિંતા વ્યકત કરવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે પાર્ટીનો પાયો સતત નબળો થઇ રહ્યો છે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે કોંગ્રેસને જમીની સ્તર પર સક્રીય હોયતેવા પૂર્ણકાલીન અને પ્રભાવશાળી ભાવિ નેતાની જરૂરીયાત છે.
કોગ્રેસ નેતાઓએ સી.ડબલ્યુ.સીની ચૂંટણીની માંગ કરી છે. જે ટીમ વિકસીત થઇ સામુહિક રીતે નિર્ણય લઇ શકે. આ પત્ર ઉપર સહી કરવામાં ગુલામનબી આઝાદ, શશી થરૂર, વિરપ્પા મોઇલી, અને મિલન દેવરા જેવા નેતા સામેલ છે.
