આજે ભારત-મલેશિયા સંયુક્ત આયોગની છઠ્ઠી બેઠક નવી દિલ્હીમાં યોજાશે
Live TV
-
વિદેશ મંત્રી સુબ્રહ્મણ્યમ જયશંકર અને મલેશિયાના વિદેશ મંત્રી ડૉ. જાંબરી અબ્દુલ કાદિર આજે નવી દિલ્હીમાં 6ઠ્ઠી ભારત-મલેશિયા સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. સંયુક્ત આયોગની બેઠકમાં બંને દેશોના રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, આર્થિક, વેપાર અને રોકાણ, આરોગ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સંસ્કૃતિ, પર્યટન અને લોકો વચ્ચેના સંબંધોના ક્ષેત્રોમાં ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. બંને પક્ષો પરસ્પર હિતના ક્ષેત્રીય અને બહુપક્ષીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.
ભારત અને મલેશિયાના વરિષ્ઠ અધિકારીઓ ગઈકાલે નવી દિલ્હીમાં મળ્યા હતા. તેની સહ-અધ્યક્ષતા સૌરભ કુમાર, વિદેશ મંત્રાલયમાં સચિવ (પૂર્વ) અને મલેશિયાના વિદેશ મંત્રાલયમાં નાયબ મહાસચિવ અહમદ રોઝિયન અબ્દ ગનીએ કરી હતી. બંને પક્ષોએ ભારત-મલેશિયા સંયુક્ત આયોગની છઠ્ઠી બેઠક સંબંધિત તૈયારીઓ અંગે ચર્ચા કરી. મલેશિયાના વિદેશ મંત્રી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળવાના છે.
