આજે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસઃ આરોગ્ય મંત્રાલય દ્વારા વિવિધ કાર્યક્રમની ઉજવણી
Live TV
-
કેન્સર એટલે કેન્સલ નહીં પરંતુ જો થોડી સાવધાની વર્તવામાં આવે તો તેનાથી બચી શકાય છે ભારત સરકાર દ્વારા વર્ષ 1975થી કેન્સર કંટ્રોલ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. અને આજે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
કેન્સર એટલે કેન્સલ નહીં પરંતુ જો થોડી સાવધાની વર્તવામાં આવે તો તેનાથી બચી શકાય છે ભારત સરકાર દ્વારા વર્ષ 1975થી કેન્સર કંટ્રોલ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. અને આજે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આરોગ્ય મંત્રાલય દ્વારા લોકોમાં આ રોગ વિશે તેની જાણકારી મળી રહે તથા આ રોગ નિવારણના ઉપાયો વિશે જાગૃતતા લાવવા વિવિધ જાગૃતતા કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. કારણ કે એક સરવે મુજબ કેન્સરની બિમારીથી દર આઠ મિનિટે એક વ્યક્તિ આ કેન્સર રોગથી પીડાય છે અને મૃત્યું પામે છે. વ્યસન બંધ કરવું, હળવી કસરત અને વિશેષ પરેજીથી જીવનને તંદુરસ્ત બનાવી શકાય છે અને કેન્સરને માત આપી શકાય છે. આજ હેતુંથી જૂનાગઢના હિમાલયા કેન્સર હોસ્પિટલના ડૉક્ટરોએ આ રોગ પ્રત્યે જાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો.
