ભારતના નવા મુખ્ય માહીતિ કમિશનરને રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ
Live TV
-
કેન્દ્રના માહિતી કમિશ્નર યશવર્ધનકુમાર સિન્હાને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ભારતના નવા મુખ્ય માહિતી કમિશનરના શપથ લેવડાવવામાં આવ્યા છે. તેમની સાથે ત્રણ ઈન્ફોર્મેશન કમિશનરને પણ શપથ લીધા હતા
કેન્દ્રના માહિતી કમિશ્નર યશવર્ધનકુમાર સિન્હાને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ભારતના નવા મુખ્ય માહિતી કમિશનરના શપથ લેવડાવવામાં આવ્યા છે. તેમની સાથે ત્રણ ઈન્ફોર્મેશન કમિશનરને પણ શપથ લીધા હતા, જેમાં પત્રકાર ઉદય માહુરકર, પૂર્વ શ્રમ સેક્રેટરી હિરાલાલ સામરીયા અને પૂર્વ ડેપ્યુટી કોમ્પટ્રોલર અને ઓડિટર જનરલ સરોજ પુનહાની પણ શપથ લેશે. ચિફ ઈન્ફોર્મેશન કમિશનરની જગ્યા બે મહિના પહેલા બિમલ ઝુલ્કાના નિવૃત્તિકાળ પછી ખાલી હતી. જ્યારે હવે નવા ચીફ ઈન્ફોર્મેશન કમિશનર તરીકે 62 વર્ષીય યશવર્ધનકુમાર સિન્હા રહેશે અને તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.
