આજે GST પરિષદની 41મી બેઠક, રાજ્યોને વળતરની ચૂકવણી ચાલુ રાખવા મુદ્દે થશે ચર્ચા
Live TV
-
આજે જીએસટી પરિષદની 41મી બેઠક મળી રહી છે. બેઠકમાં રાજ્યોને વળતરની ચુકવણી જારી રાખવા અંગે અને ભૂલ સુધાર પર મુખ્યત્વે ચર્ચા કરશે. આજની બેઠકમાં , સપટેમ્બરમાં યોજાનારી બેઠકના એજન્ડા પણ નક્કી થશે.
કેન્દ્ર અને રાજ્યોને વળતરની ચુકવણી કરી રહ્યું છે. એપ્રિલ - નવેમ્બર 2019 માટે રૂપિયા 1 કરોડ, 15 લાખ, 96 કરોડના વળતરની ચુકવણી , થઇ ચુકી છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ડિસેમ્બર 2019 અને ફેબ્રુઆરી 2020 સુધીના સમયગાળા માટે 36 હજાર 400 કરોડ રૂપિયાના બીજા હપ્તાની પણ ચુકવણી થઇ ચુકી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2018 -19 માં 69 હજાર 275 કરોડ રૂપિયા અને વર્ષ 2017-18માં, 4 1 હજાર 146 કરોડ રૂપિયા જેટલા જીએસટી વળતરની ચુકવણી કરી હતી.
