જમ્મુ-કાશ્મીરમાં ત્રણ મંદિરોને જોડતો રોપ-વે પ્રોજેક્ટ તૈયાર
Live TV
-
જમ્મુ કાશ્મીરના પ્રવાસન સ્થળો પર રોપ-વે નો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે અને તેનાથી પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. ત્રણ પ્રાચીન મંદિરોને જોડતો રોપ-વે પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે.
મહામાયા મંદિર, બાવેવાલી માતા અને પીરખો મંદિર માટે આ રોપ-વે તૈયાર કરવામાં આવ્યું છે. માત્ર 30 મહિનામાં આ પ્રોજેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે.
આ રોપ-વેની લંબાઈ લગભગ 1668 મીટર છે. આ રોપ-વે બનવાથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રોપ-વે થી લોકલ બિઝનેસને પણ પ્રોત્સાહન મળશે. આ રોપ-વે પર પ્રતિ કલાકે 400 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે.
