આસામના તીન સુખિયામાં અજાણ્યા ઉલ્ફા ઉગ્રવાદીઓએ પાંચ લોકોની હત્યા કરી
Live TV
-
ઉગ્રવાદી આ યુવાનોને બ્રહ્મપુત્રા નદીના કિનારે લઈ ગયા અને તેમને ગોળીમારી હતી
આસામના તીન સુખિયામાં અજાણ્યા ઉલ્ફા ઉગ્રવાદીઓએ પાંચ લોકોની હત્યા કરી હતી. ઉલ્ફા ઉગ્રવાદીઓએ તેમનું અપહરણ કરીને ગોળીમારી હતી. ગુરૂવારે સાંજે લગભગ 7.45 વાગે થયેલા હુમલામાં ઉગ્રવાદીઓએ છ યુવાનોનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ ઉગ્રવાદી આ યુવાનોને બ્રહ્મપુત્રા નદીના કિનારે લઈ ગયા અને તેમને ગોળીમારી હતી. તેમાંથી ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એકને હોસ્પિટલ લઈ જતાં દરમિયાન મોત થયું હતું. એક ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આસામના મુખ્યમંત્રીએ આ ઘટનાની નિંદા કરી અને પોલીસને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
