જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરાઈ
Live TV
-
અજ્ઞાત હુમલાખોરે અનિલ પરિહાર ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો
જમ્મુ - કાશ્મીરના કિશ્તવાડમાં ગઈકાલે સાંજે , ભાજપના પ્રદેશ સચિવ અનિલ પરિહાર , અને તેમના ભાઈની અજ્ઞાત હુમલાખોરે ગોળી મારી હત્યા કરી હતી. અજ્ઞાત હુમલાખોરે અનિલ પરિહાર ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેથી તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે ઘટના સ્થળે ઉપસ્થિત અનિલ પનિહારના ભાઈ અજીત પરિહારને ગોળી વાગી હતી. તેઓ ગંભીરરૂપે ઈજાગ્રસ્ત બન્યા હતા. બાદમાં તેમનું પણ મોત થયું હતું. ભાજપના નેતા અને તેમના ભાઈની આતંકવાદી દ્વારા હત્યા કરાયા બાદ કિશ્તવાડમાં કરફ્યુ લગાવાયો છે. કાયદો અને જળવાઈ રહે માટે સેના બોલાવવામાં આવી છે. ગૃહમંત્રી રાજનાથસિંહે ભાજપ નેતા અને તેમના ભાઈની હત્યા અંગે દુઃખ અને હેરાની વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, અપરાધિઓને કાનૂનના હવાલે કરવામાં પોલીસ કોઈકસર છોડશે નહીં.
