ઇસરોએ પીએસએલવી–સી–51 યાન ધ્વારા 19 ઉપગ્રહોનું સફળતાપુર્વક પ્રક્ષેષણ
Live TV
-
ભારત સમગ્ર વિશ્વમાં અવકાશ ક્ષેત્રે કરી રહેલી પ્રગતિમાં સતત વધારો કરી રહ્યું છે. શ્રી હરીકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્ર પરથી ગઈકાલે સવારે પીએસએલવી – સી – પ૧ યાન ધ્વારા 19 ઉપગ્રહ સફળતાપુર્વક અવકાશમાં તરતા મુકાયા. આ ૧૯ ઉપગ્રહોમાં ભારત, અમેરીકા અને બ્રાઝીલના વિવિધ ઉપગ્રહોનો સમાવેશ થાય છે. સફળતાપુર્વક પ્રક્ષેપણ બાદ સૌપ્રથમ બ્રાઝીલનો મુખ્ય ઉપગ્રહ એમેજોનીયા-એક અવકાશમાં તરતો મુકાયો, ત્યારબાદ એક કલાકના સમયગાળામાં બાકીના ૧૮ ઉપગ્રહો તરતા મુકાયા.
ઇસરોના અધ્યક્ષ ડોકટર સીવાને કહયું કે બ્રાઝીલ ધ્વારા બનાવાયેલા ઉપગ્રહને સફળતાપુર્વક તરતો મુકાયો એ ગૌરવની બાબત છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોને અભિનંદન આપતા ટવીટ સંદેશામાં કહયું કે ભારતના આ પ્રથમ સંપુર્ણ વાણીજયીક ઉપગ્રહ પ્રક્ષેપણથી અવકાશ ક્ષેત્રે સુધારણાના નવા યુગની શરુઆત થઇ છે.
