ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ફ્રાન્સના વિદેશ મંત્રી પ્રતિનિધિ સાથે વેપાર શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરશે
Live TV
-
બંને દેશોની મિત્રતાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે કરાયું છે આયોજન
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ ફ્રાંસના પ્રવાસે છે. પીયષ ગોયલ આજે પેરિસમાં ફ્રાંસના વિદેશ વ્યાપર મંત્રી પ્રતિનિધિ સાથે ભારત-ફ્રાન્સ વ્યાપાર શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરશે. ભારત-ફ્રાંસ મૈત્રીના 25 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભારત-ફ્રાંસ વ્યાપાર શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. શિખર સંમેલનમાં હરિત ભવિષ્યનું નિર્માણ, ઉભરતા ટેક્નોલોજી, રક્ષા સહયોગ અને ભારત પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ જેવા અનેક વિષયો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. પીયુષ ગોયલના વિભિન્ન ક્ષેત્રોમાં ફ્રાન્સિસી વ્યાપર જગતના દિગ્ગજો સાથે બેઠક કરવાનો પણ કાર્યક્રમ છે. તેઓ સીઈઓના રાઉન્ડ ટેબલ સંમેલનમાં પણ ભાગ લેશે. ત્યારબાદ પીયુષ ગોયલ ઈટાલીના પ્રવાસે જશે. તેઓ ઈટાલીના ઉપપ્રધાનમંત્રી તેમજ વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રી અંટોનિયો તજાની સાથે મુલાકાત કરશે.
