શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને ઈદગાહ સંબધિત વિવાદ કેસમાં આજે મથુરાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે સુનવણી
Live TV
-
ગત સુનવણીમાં અદાલતે ઈદગાહના અમીન સર્વે પર મુક્યો હતો પ્રતિબંધ
શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને ઈદગાહ સંબંધી વિવાદ મામલામાં મથુરાની ફાસ્ટ ટ્રેક કોર્ટ આજે સુનાવણી કરશે. અગાઉની સુનાવણી દરમિયાન અદાલતે ઈદગાહના અમીન સર્વે પર રોક લગાવી હતી. ફાસ્ટ ટ્રેક સિવિલ સિનિયર ડિવિઝન કોર્ટના જજે ગત બુધવારે થયેલ સુનાવણી દરમિયાન અમીન સર્વે પર રોક લગાવી દીધી હતી. આ અગાઉ સિનિયર ડિવિઝન કોર્ટ દ્વારા હિન્દુ સેનાના અધ્યક્ષની યાચિકા પર અમીની સર્વેનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ ગત પાંચમી એપ્રિલના રોજ શાહી ઈદગાહના પક્ષકારોની યાચિકા પર સુનાવણી દરમિયાન તેના પર રોક લગાવવામાં આવી. ત્યારે ઈદગાહના અમીની સર્વેને લઈને આજની સુનાવણી ઘણી મહત્વની રહેશે.
