કેન્દ્રિય ગૃહમંત્રીના હસ્તે આસામમાં 188 કરોડની યોજનાઓનો શિલાન્યાસ
Live TV
-
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આસામનાં પ્રવાસે છે ત્યારે તેઓએ આસામમાં મઠનાં વિકાસ અને સૌંદર્ય સાથે જોડાયેલી 188 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. સાથે અમિત શાહે 180 કરોડનાં ખર્ચે શંકરદેવનાં સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. જાહેર સભાને સંબોધતા કેન્દ્રિય ગૃહમંત્રીએ કહ્યું હતું કે શાસનનો ઉદ્દેશય ગરીબ લોકોની સેવા કરવાનો હોવો જોઈયે. આસામ સ્વાતંત્ર્ય સેનાનીઓની ભૂમિ છે. આ ભૂમિએ ભારતને ઘણું આપ્યું છે. તેઓએ કોંગ્રેસ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે 15 વર્ષ આસામમાં કોંગ્રેસની સરકાર રહી પણ શંકરદેવના જન્મસ્થળને ન બનાવ્યો. આજે કેન્દ્રિય ગૃહમંત્રી નગાંઉ જિલ્લામાં શંકરદેવનાં જન્મસ્થળ બતાદ્રવ મઠની મુલાકાત લેશે.
