કેન્દ્રિય રક્ષામંત્રી નિર્મલા સીતારમણે લીધી અમદાવાદની મુલાકાત
Live TV
-
કેન્દ્રિય રક્ષામંત્રી નિર્મલા સીતારમણે ખાનપુર બરફીવાલા ભવન ખાતે સેવા નિવૃત સૈનિકો સાથે તેમણે સીધો સંવાદ કર્યો
કેન્દ્રિય રક્ષામંત્રી નિર્મલા સીતારમણ એક દિવસ અમદાવાદની મુલાકાતે ત્યારે તે માટે ખાનપુર બરફીવાલા ભવન ખાતે સેવા નિવૃત સૈનિકો સાથે તેમણે સીધો સંવાદ કર્યો હતો નિવૃત્ત થયેલા સૈનિકો એ પોતાના પ્રશ્નો જેવા કે નિવૃત્ત થયા બાદ જમીનના લાભો, અટવાયેલા પેન્શનના પ્રશ્નો, આરોગ્ય સેવાઓ તથા 10 % નિવૃત સૈનિકો માટે નોકરીમાં અનામતમો યોગ્ય અમલ ન થયો હોવાની રજુઆત કરવામાં આવી હતી.જેના જવાબમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણે વિવિધ પ્રશ્નોને અગ્રીમતા આપીને હલ કરવાની બાંહેધરી આપી હતી. તો પેન્શનના પ્રશ્ને એક કમીટી ગુજરાતમાં મોકલવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આઈ.કે જાડેજા,ધારાસભ્ય જગદિશ પંચાલ તેમજ મેયર બિજલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
