કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે સયુંક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદમાં પર્યાવરણ અને સુરક્ષાના વિષય પર ચર્ચામાં ભાગ લીધો
Live TV
-
જળવાયુ પરીવર્તન આજના સમયમાં એક નિર્ણાયક મુદ્દો છે
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે વર્ચુઅલ માધ્યમથી સયુંક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદમાં પર્યાવરણ અને સુરક્ષાના વિષય પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે જળવાયુ પરીવર્તન આજના સમયમા એક નિર્ણાયક મુદ્દો છે. જેના માટે સૌકોઈએ સાથે મળીને સામુહીક નિર્ણયો લેવાની જરુર છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ભારત એક્માત્ર જી ટ્વેન્ટી દેશ છે જે જળવાયુ પરીવર્તન માટે પેરીસ સમજોતાને અનુરુપ કદમ ઉઠાવી રહ્યુ છે. પર્યાવરણમાં સતત થઇ રહેલા પરિવર્તનની સમાજના ઉન્નત વર્ગની તુલનાએ સામાજિક અને આર્થિક રીતે પછાત અને વંચિત વર્ગ પર ઘણી વધુ અસર પડે છે.
