કેન્દ્ર સરકારે તુવેર અને અડદના જથ્થાની સ્થિતિની સમીક્ષા કરી
Live TV
-
કેન્દ્ર સરકારે મુખ્ય કઠોળ ઉત્પાદક અને વપરાશ કરતાં ગુજરાત સહિત 9 રાજયો સાથે તુવેર અને અડદના જથ્થાની સ્થિતિની સમીક્ષા કરી છે. આ સમીક્ષા બેઠકમાં આ રાજયોના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. બેઠકમાં નોંધાયેલી સંસ્થાઓની સંખ્યા અને જાહેર કરાયેલા જથ્થાની રાજ્યો સાથે વ્યક્તિગત રીતે સમીક્ષા કરવામાં આવી હતી.
ગ્રાહક બાબતોના સચિવ, રોહિતકુમાર સિંઘે રાજ્યોને તપાસ હાથ ધરવા અને કડક પગલાં લેવા આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે, ગ્રાહક બાબતોના વિભાગે 12 વરિષ્ઠ અધિકારીઓને વિવિધ રાજ્યની રાજધાની અને જિલ્લામાં તુવેર ઉત્પાદન અને વેપાર કેન્દ્રો માટે નિયુક્ત કર્યા છે. તેઓ વિવિધ માર્કેટ, મિલરો અને સ્ટોરેજ ઓપરેટરો પાસેથી પ્રતિભાવ મેળવશે.
