કોંગ્રેસના શાસનમાં માત્ર ભ્રષ્ટાચારઃPM
Live TV
-
કોંગ્રેસના 'હુઆ તો હુઆ' ના નિવેદન પર કર્યો કટાક્ષ
લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાના મતદાન માટે તમામ પક્ષના નેતાઓએ પ્રચાર તેજ કરી દીધો છે.. પ્રધાનમંત્રીએ મોદીએ પંજાબના ભંટીડા ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે 1984ના શીખ વિરોધી તોફાનોના બહાને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલના સલોન ખાતે એક જનસભાને સંબોધી હતી. જ્યાં તેમણે લોકોને બીજેપીને મત આપવા કહ્યું હતું. અને સાથે કોંગ્રેસ પક્ષ પર પ્રહારો કર્યા હતા. આ પુર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના રતલામમાં એક જનસભાને સંબોધન કરતાં કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કોંગ્રેસના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસના નેતાઓ દ્વારા 'હુઆ તો હુઆ' ના નિવેદન પર કટાક્ષ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે પંજાબ,મધ્યપ્રદેશ,અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી સભાઓ ગજવી હતી
