કોંગ્રેસે વેક્સીન પર ઉઠાવેલા સવાલો પર ભાજપનો વળતો પ્રહાર
Live TV
-
કોંગ્રેસ દ્વારા સ્વદેશી વેક્સિન અંગે ઉભા કરવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા ભાજપે કહ્યું હતું કે કોંગ્રેસ ભ્રમ, જૂઠાણા અને અરાજકતાની રાજનીતિ કરી રહી છે.
કોંગ્રેસ દ્વારા સ્વદેશી વેક્સિન અંગે ઉભા કરવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા ભાજપે કહ્યું હતું કે કોંગ્રેસ ભ્રમ, જૂઠાણા અને અરાજકતાની રાજનીતિ કરી રહી છે. દિલ્લીમાં ભાજપ મુખ્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે ભારતે આત્મનિર્ભર થઈને જે વેક્સિન બનાવી તે માટે આખા દેશને ગર્વ છે. સૌ લોકો સ્વાસ્થ્ય કર્મીઓના કામને બિરદાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ જૂઠાણા ફેલાવે છે. તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધી સવાલ પૂછવાનું જાણે છે પરંતુ વિપક્ષ તરીકેની જવાબદાદી હોય તે પ્રમાણેનું તેમનું વર્તન નથી.
