કોરોના વેક્સીનને ટૂંક સમયમાં દરેક ભારતીય સુધી પહોંચાડાશે : PM
Live TV
-
દરેક ભારતીય સુધી ઝડપથી વેક્સિનને પહોંચાડવા માટે તૈયાર કરાઈ રૂપરેખા : PM
74માં સ્વતંત્રતા દિવસે દેશને સંબોધતા પ્રધાનમંત્રીએ કોરોના વેક્સિનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વેક્સીનને ટૂંક સમયમાં દરેક ભારતીય સુધી પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાની એક નહીં, બે નહીં, ત્રણ-ત્રણ વેક્સીન આ સમયે ટેસ્ટિંગના વિવિધ તબક્કામાં છે. અને વૈજ્ઞાનિકોની તરફથી લીલીઝંડી મળતાની સાથે જ વેક્સિનનું મોટાપાયે પ્રોડક્શન શરૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, દરેક ભારતીય સુધી ઝડપથી વેક્સિનને પહોંચાડવાની સરકાર દ્વારા રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી છે.
