કોરોના સામેના જંગમાં દેશને મળી મહત્વની સફળતા
Live TV
-
દેશમાં કોરોનાથી સાજા થવાની સંખ્યા 15 લાખથી પાર, રીકવરી રેટ 69.33 ટકાથી વધુ
દેશમાં કોરોના સંક્રમણ સામેના જંગમાં ભારતે મહત્વની સિદ્વી મેળવી છે. દેશમાં કોરોનાથી સાજા થવાની સંખ્યા 15 લાખ 35 હજાર 743 થી વધુ થઇ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, મહામારીથી સાજા થવાની સંખ્યા 15 લાખને પાર કરી છે. આ માટે આક્રમક રીતે કરવામાં આવતું ટેસ્ટીંગ અને ત્યારબાદ સારવારના કારણે આ આંકડો પાર કરવામાં સફળતા મળી છે. મંત્રાલયે કહ્યું છે કે, એમ્બ્યુલન્સ સેવાઓ અને ઓક્સિજનના ઉપયોગે સારા પરિણામ આપ્યા છે. આરોગ્ય વિભાગની સારી કામગીરીથી મૃત્યુદર બે ટકા સુધી પહોંચ્યો છે. જ્યારે રીકવરી રેટ 69.33 ટકાથી વધુ થયો છે. જે સંક્રમિત 6 લાખ 34 હજાર 945ની સરખામણીમાં વધુ છે.
