ખાદ્ય અને કૃષિ સંગઠનની 75 વર્ષગાંઠ નિમિત્તે PM મોદીએ રૂ. 75નો સ્મારક સિક્કો પ્રસિદ્ધ કર્યો
Live TV
-
ખાદ્ય અને કૃષિ સંગઠનની 75 વર્ષગાંઠ નિમિત્તે , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , આજે રૂ. 75નો સ્મારક સિક્કોપ્રસિદ્ધ કર્યો હતો. ફૂડ એન્ડ એગ્રીક્લચર ઓર્ગેનાઇઝેશન સાથે , ભારતના વર્ષો જૂના સંબંધો દર્શાવવાની સાથે સાથે , સરકાર દ્વારા કૃષિ અને પોષણને આપવામાં આવેલી પ્રાથમિકતા અંગે પ્રધાનમંત્રી મુદ્દાસર વાત કરી હતી.
ખાદ્ય અને કૃષિ સંગઠનની 75 વર્ષગાંઠ નિમિત્તે , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , આજે રૂ. 75નો સ્મારક સિક્કોપ્રસિદ્ધ કર્યો હતો. ફૂડ એન્ડ એગ્રીક્લચર ઓર્ગેનાઇઝેશન સાથે , ભારતના વર્ષો જૂના સંબંધો દર્શાવવાની સાથે સાથે , સરકાર દ્વારા કૃષિ અને પોષણને આપવામાં આવેલી પ્રાથમિકતા અંગે પ્રધાનમંત્રી મુદ્દાસર વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લઘુત્તમ ટેકાના ભાવ આપવામાં કેન્દ્ર સરકારને ખૂબ મહત્વનું કામ કર્યું છે. જેમાં ખેત પેદાશ, બજારમાં આવે તે પહેલાં જ તેના ભાવ નક્કી થયા હતા. આ ઉપરાંત એક સાથે 17 બાયો ફોર્ટિફાઇડ બીજ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે કૃષિ ક્ષેત્રે મહત્વના પરિવર્તન આવશે. આ કાર્યક્રમ દેશની તમામ આંગણવાડીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૈવિક સંસ્થાનો જોઈ શકશે. તેમણે ઉમેર્યું કે, એફ.એ.ઓ. સાથે ભારતનો ઐતિહાસિક સંબંધ રહ્યો છે. ભારતે 10 કરોડથી વધારે લોકોના લક્ષ્ય સાથે , મહત્ત્વાકાંક્ષી પોષણ અભિયાન પણ શરૂ કર્યું છે. જેનો ઉદ્દેશ, શારીરિક ખામી, કુપોષણ, એનિમિયા ,, અને ઓછા વજન સાથે જન્મેલા બાળકોની સમસ્યાને , દૂર કરવાનો છે.
