ખેડૂત આંદોલનઃ ચંદીગઢમાં કેન્દ્ર સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચે થઈ બેઠક
Live TV
-
ચંદીગઢમાં કેન્દ્ર સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચે ચોથો તબક્કાની બેઠક થઈ.
ચંદીગઢમાં કેન્દ્ર સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચે ચોથો તબક્કાની બેઠક થઈ. બન્ને પક્ષ વચ્ચે થયેલી વાતચીત ખૂબ સકારાત્મક રહી છે. બેઠકમાં ખેડૂતો સામે સરકારે પ્રસ્તાવ રાખ્યો છે કે, જો હરિયાણા અને પંજાબના ખેડૂતો ક્રોપ ડાયવર્સિફિકેશન કરે છે અને મકાઈ, કપાસ, અડદ અને અરહરની ખેતી કરે છે તો સરકાર આ ચાર પાક પર બાંયધરી આપશે કે આગામી પાંચ વર્ષ સુધી તેમના પાકને NFRED (નફેર્ડ) અને NCCAના માધ્યમથી MSP પર ખરીદવામાં આવશે.
આ પ્રસ્તાવ પર ખેડૂતોએ સંમત થયા છે અને નિર્ણય લેવાની વાત કરી છે. જ્યારે કેન્દ્રીય મંત્રીઓએ પણ NFRED (નફેર્ડ) અને NCCA સાથે ચર્ચા કરવાની વાત કરી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, બન્ને પક્ષ વચ્ચે વાતચીત નવા વિચારો અને નવી વિચારસરણી સાથે થઈ છે. પ્રધાનમંત્રી હંમેશા ખેડૂતોના હિતની વાત વિચારે છે. PM પાક વીમા યોજના અને કિસાન સન્માન નિધિના માધ્યમથી ખેડૂતોને મોટી મદદ કરવામાં આવી છે.
