ગૃહમંત્રી રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે
Live TV
-
ગૃહમંત્રી રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે એક દિવસ માટે રાજ્યના પ્રવાસે છે. આ એક દિવસીય યાત્રામાં ગૃહમંત્રી રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરશે. સાથે પોલીસ, નાગરિક પ્રશાસન, સેના અને અર્ધ સૈનિક દળોના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અને સુરક્ષા સ્થિતિ પર સમીક્ષા કરશે. ઉચ્ચ અધિકારીઓ, ગૃહમંત્રીને રાજ્યમાં શાતિપૂર્વક થયેલ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી સિવાય, કાનૂન-વ્યવસ્થા અને આતંકવાદ સામે કરવામાં આવી રહેલી કામગીરી વિશે જાણ કરશે. ગૃહમંત્રી સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરે તેવી પણ શક્યતા છે.
