ઘરેલુ સંરક્ષણ ઉત્પાદોને પ્રોત્સાહન આપવા સંરક્ષણ મંત્રાલયમાં આત્મનિર્ભર ભારત સપ્તાહનો પ્રારંભ
Live TV
-
દેશમાં જ તમામ વસ્તુઓનું નિર્માણ થતાં દેશની મૂડી બચશે, સાથે જ 7 હજાર જેટલા MSMEને પણ મળશે પ્રોત્સાહન : રાજનાથસિંહ
દેશને તમામ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના સરકારના સંકલ્પને આગળ વધારતા દેશના સંરક્ષણ મંત્રાલય દ્વારા એક અનોખું આયોજન કર્યું છે. ખાનગી સંરક્ષણ સાધનોનું ઉત્પાદન વધારવાના હેતુ સાથે સંરક્ષણ મંત્રાલયમાં આત્મનિર્ભર ભારત સપ્તાહનું આયોજન કરાયું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે, દેશમાં જ સંરક્ષણ સાધનોનું ઉત્પાદન કરવાથી દેશની મૂડી બચશે. એટલું જ નહીં, તેનાથી દેશના સાત હજાર MSMEને પ્રોત્સાહન મળશે.
