ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક્ઝિટ પોલ અંગે દિશા નિર્દેશ જાહેર કર્યા
Live TV
-
બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા એક્ઝિટ પોલને લઈ દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.
ચૂંટણી પંચના દિશા નિર્દેશ મુજબ 28 ઓક્ટોમ્બરે સવારે સાત વાગ્યાથી સાંજે 6.30 સુધી એક્ટિઝ પોલનું પ્રસારણ પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયામાં નહીં કરી શકાય. જો કોઈ પ્રચાર કે પ્રસાર કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
કોરોના મહામારીને જોતા આ વખતે ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો અને 80 વર્ષથી ઉપરના વૃદ્ધો માટે પોસ્ટ કાર્ડથી ગુપ્ત મતદાન કરવાની સુવિધા પુરી પાડવામાં આવી છે.પોસ્ટકાર્ડથી આ રીતે મતદાન સૌ પ્રથમ વખત થવા જઈ રહ્યું છે.તો ભાજપ દ્વારા પાર્ટી વિરોધી પ્રવૃત્તિ માટે 9 નેતાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.
