છ મહિનાના સમયમાં 13 લાખથી પણ વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે
Live TV
-
રાષ્ટીય એકતા ટ્રસ્ટને 34 કરોડ 48 લાખની આવક થઈ ચૂકી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ કર્યા પછી પ્રવાસીઓ મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. છ મહિનાના સમયમાં 13 લાખ પ્રવાસીઓ આ સ્થાનની મુલાકાત લઈ ચુકયા છે. તેને પગલે રાષ્ટીય એકતા ટ્રસ્ટને 34 કરોડ 48 લાખની આવક થઈ ચૂકી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે.
