જન-જાતીય ગૌરવ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વીડિયો સંદેશ દ્વારા દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી
Live TV
-
જન-જાતીય ગૌરવ દિવસએ 15 નવેમ્બર 2021ના રોજ ભારતની આઝાદીની આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યાદ કરવા માટે 75મી વર્ષગાંઠ ઉજવણીના ભાગ રૂપે ઉજવવામાં આવે છે. 10 નવેમ્બર 2021ના રોજ યોજાયેલી ભારત સરકારની કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં જન-જાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો હતો.
આજે જન-જાતીય ગૌરવ દિવસના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વીડિયો સંદેશ દ્વારા દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારત સરકારે 15 નવેમ્બર એટલે ભગવાન બિરસા મુંડાની જનજાતિને ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસીક નિર્ણય કર્યો છે.
આજનો આ દિવસ જનજાતિઓને આર્થિક, સામાજિક વિકાસને આગળ વધારવામાં મદદ કરશે. તથા પ્રધાનમંત્રી દ્વારા 'પીએમ જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન' દેશના વિકસીત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
