જેડીયૂ-ભાજપ વચ્ચે સીટોની વહેંચણીને લઈને બની સહમતી
Live TV
-
આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર વચ્ચે બેઠક યોજાઈ હતી.
છેલ્લા ઘણા સમયથી ભાજપ અને જેડીયુ વચ્ચે લોકસભાની બેઠકોને લઇને ચર્ચા ચાલી રહી હતી. આગામી લોકસભાની ચુંટણીમાં, બિહારમાં બેઠકોને લઇને, દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને જેડીયુના સુપ્રીમો અને બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર સાથે બેઠક યોજાઇ હતી. લંબાણપૂર્વકની બંને ટોચના નેતાઓ વચ્ચેની વાટાઘાટો બાદ, અમિત શાહ અને નિતીશકુમારે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં અમિત શાહે જાહેરાત કરી હતી, કે ભાજપ અને જેડીયુ સમાન બેઠકો ઉપર ચુંટણી લડશે. આ ઉપરાંત ઉપેન્દ્ર કુશવાહ પણ એનડીએનો હિસ્સો રહેશે તેવી પણ અમિત શાહે જાહેરાત કરી હતી.
