ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટોક્યો માટે રવાના થયા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનામાં 28 અને 29 ઓક્ટોબરે આયોજીત વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા બે દિવસીય જાપાના યાત્રા માટે રવાના થયા. પીએમ મોદીએ આર્થિક અને ઔદ્યોગિક આધુનિકરણના ક્ષેત્રેજાપાનને ભારતનો ભરોસાપાત્ર સહયોગી દેશ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, ભારત અને જાપાન બંને દેશો વચ્ચે વિશેષ રણનૈતિક વૈશ્વિક ભાગીદારી છે. જાપાન ભારતની એક્ટ ઇસ્ટ પોલીસીનો મજબૂત સ્તંભ છે. નોંધનિય છે કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીની જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે સાથે આ 12મી મુલાકાત છે. બંને વચ્ચે પહેલી મુલાકાત 1 સપ્ટેમ્બર 2014માં થઈ હતી.
