તિતલી LIVE : ગંજમ, ગજપતિ અને રાયગઢ જિલ્લામાં પૂરથી સ્થિતિ વણસી
Live TV
-
ભૂસ્ખલનમાં 12 લોકોના મોત,દરમિયાન તોફાન પૂર્વોત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે
ઓરિસ્સામાં તિતલી વાવાઝોડા બાદ મુશળધાર વરસાદથી ગંજમ, ગજપતિ અને રાયગઢ જિલ્લામાં પૂરની સ્થિતિ સતત વણસી રહી છે. ભારે વરસાદના પગલે રાયગઢ જિલ્લાના એક અંતરિયાળ ગામમાં ભૂસ્ખલનમાં 12 લોકોના મોત થયા છે. દરમિયાન મુખ્યમંત્રી નવિન પટનાયકે પ્રભાવિત ગંજમ, ગજપતિ અને રાયગઢ જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે, પ્રભાવિત વિસ્તારોમાં વિજળી અને પાણી પુરવઠો પુરો પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન તોફાન પૂર્વોત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે તોફાનની અસરથી 24 કલાકમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ અને મણીપુરમાં ઘણા સ્થળે મુશળધાર વરસાદ થવાની ચેતવણી આપી છે. બંગાળની ખાડીથી પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના મેદાની ક્ષેત્રોમાં માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.
