ભારતીય નૌસેનાએ હાંસલ કરી નવી તાકાત
Live TV
-
દુર્ઘટનાગ્રસ્ત સબમરીનને બચાવનાર DSRV થયું બેડામાં સામેલ
નૌસેનાએ હાઈ-સીમાં સબમરીન દુર્ઘટનાગ્રસ્ત થવાના કિસ્સામાં બચાવ અને રાહત કાર્યમાં મદદ આપનાર DSRVને સેવામાં લીધું છે. નૌસેના પ્રવક્તા ડી.કે.શર્માએ જણાવ્યું હતું કે, DSRVને બેડામાં સામેલ કરવાથી ભારત એ પસંદગીના દેશોના સમુહમાં સામેલ થયું છે, જેની પાસે સંકટના સમયમાં ફસાયેલ સબમરીનને શોધવા અને બચાવ કરવાની ક્ષમતા છે. વર્તમાન અમેરિકા-ચીન-રશિયા સહિત અમુક જ દેશો પાસે DSRVને સમુહમાં સામેલ કરવાની ક્ષમતા છે. DSRVનો ઉપયોગ દુર્ઘટનાનો શિકાર બનેલા સબમરીનના કર્મચારીઓનો બચાવ કરવા માટે હાથ ધરવામાં આવે છે. આ સાથે સમુહની અંદર કેબલ બિછાવવા સહિત વિવિધ અભિયાન માટે પણ તેને તૈનાત કરવામાં આવે છે. કેટલાક DSRVને મોટા માલવાહક જહાજો દ્વારા સ્થળાંતર કરાય છે.
