પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરવા ગુજરાત આવશે
Live TV
-
31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી
દેશની એકતા અને અખંડિતતાના મહાન શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા- સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાત આવી રહ્યા છે. 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે. આથી આ સમગ્ર આયોજન રાજ્ય સરકાર દ્વારા કરાયું છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપી હતી.
