ત્યાગ સમર્પણ અને સાદગીના પ્રતિક 'કસ્તુરબા ગાંધી'ની આજે પુણ્યતિથિ
Live TV
-
22 ફેબ્રુઆરી 1944ના રોજ પુણેમાં તેમણે દેહ ત્યાગ કર્યો હતો
આજના દિવસે કસ્તુરબા ગાંધીને એટલા માટે યાદ કરવામાં આવે છે કારણ કે આજે તેમની પુણ્યતિથિ છે. 22 ફેબ્રુઆરી 1944ના દિવસે પુણેના અગા ખાન પેલેસમાં તેમણે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. તેમને પ્રેમથી લોકો 'બા' કહીને સંબોધતા હતા.
કસ્તુરબાનો જન્મ 11 એપ્રિલ 1869 પોરબંદરમાં થયો હતો. તેમના બાળપણનું નામ કસ્તુર કપાડિયા હતું. તેમણે વધારે અભ્યાસ ન હતો કર્યો અને ખૂબ નાની ઉંમરમાં જ તેમના લગ્ન થઈ ગયા હતા.
નાની ઉંમરમાં જ લગ્ન થઈ ગયા હોવાના કારણે બાપુ અને કસ્તુરબા નાનપણથી જ સારા મિત્રો બની ગયા હતા. જ્યારે બાપુ કાયદાનો અભ્યાસ કરવા માટે આફ્રીકા ગયા ત્યારે કસ્તુરબા પણ તેમની સાથે ગયા હતા અને દરેક વખતે તેમણે બાપુનો સાથ આપ્યો.
