વિદેશમંત્રી એસ.જયશંકર 2 દેશોના પ્રવાસના અંતીમ ચરણમાં મોરિશિયસ પહોંચ્યા
Live TV
-
મોરિશિયસના વિદેશમંત્રીએ કર્યુ સ્વાગત.
વિદેશમંત્રી એસ.જયશંકર 2 દેશોના પ્રવાસના અંતીમ ચરણમાં મોરિશિયસ પહોંચ્યા છે. જ્યા તેઓનું સ્વાગત મોરિશિયસના વિદેશમંત્રી દ્વારા કરવામાં આવ્યું. જ્યા તેઓએ હિન્દમહાસાગર ક્ષેત્રે ભારતની રણનીતી સહીત પાડોશી દેશ સાથે દ્વીપક્ષીય સંબધોને લઈને ચર્ચા કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ મોરિશિયસના રાષ્ટ્રપતી પૃથ્વીરાજ સિંઘ તથા પ્રધાનમંત્રી પ્રવિણ જગન્નાથ સાથે પણ મુલાકાત કરશે.
આ ઉપરાંત તેઓ તેમની સમકક્ષ અને ક્ષેત્રીય એકીકરણ અને આંતરરાષ્ટ્રીય વેપાર તથા જમીન પરીવહન મંત્રી સાથે પણ મુલાકાત કરશે. તેઓ દ્વીપક્ષીય વેપાર સહીત વિવિધ પહેલુઓ પર ચર્ચા કરશે. આ ઉપરાંત ભારત દ્વારા મોરિશિયસમાં વિવિધ વિકાસની પરીયોજનાઓની પણ સમીક્ષા કરશે. આ પહેલા વિદેશમંત્રીએ માલદીવનો પ્રવાસ કર્યો હતો. જ્યા ભારત અને માલદીવ વચ્ચે પાંચ મહત્વના કરાર થયા છે જેમા રક્ષાના ક્ષેત્રે સહયોગ પણ શામેલ છે.
