દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં ભાજપાના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાઈ
Live TV
-
સંમેલનમાં નવા કૃષિ કાયદાઓ અને આગામી વિધાનસભાની ચૂંટણીઓ મુદ્દે ચર્ચા કરવામાં આવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભાજપાના રાષ્ટ્રીય પદાધિકારીઓની દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. સંમેલનમાં નવા કૃષિ કાયદાઓ અને આગામી વિધાનસભાની ચૂંટણીઓ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટી અધ્યક્ષ ,જે.પી. નડ્ડા સહિત ભાજપાના તમામ પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશોના પ્રભારી-સહ પ્રભારી, તમામ પ્રદેશોના સંગઠન મંત્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપે કોંગ્રેસ પર પલટવાર કર્યો હતો અને કહ્યું હતું કે વિપક્ષ GST, કૃષિ સુધારા સહિત અન્ય સુધારાઓ મુદ્દે દેશની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.
