પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્વિમ બંગાળના પ્રવાસે
Live TV
-
શ્રી મોદી એન્જીનીયરીંગ કોલેજની આધારશીલા મુકાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્વિમ બંગાળના પ્રવાસે છે. આજે પશ્ચિમ બંગાળના હુગલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધી હતી અને જણાવ્યું હતું કે એક સમયે હુગલી ભારતમાં ઉદ્યોગોનું હબ હતું. પશ્ચિમ બંગાળનો ઉત્તમ વિકાસ કરવો એ અમારી પ્રાથમિકતા છે. આ વખતે પશ્ચિમ બંગાળમાં કમળ ખીલે તે જરૂરી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલ પરિયોજનાનું ઉદ્ધાટન કર્યું હતું. અને કોલકાતામાં નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધીની મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ધાટન પણ કર્યું હતું. ચાર કિલોમીટર કરતાં લાંબી રેલ્વે લાઇનના નિર્માણમાં ૪૬૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પરિવહનની સેવાઓ જેટવી વિકસસે આત્મનિર્ભરતામાં તેટલી જ મદદ મળશે.
