દિલ્હીમાં પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11 કામદારોના મોત
Live TV
-
વિસ્ફોટના કારણે ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી અને કામદારો ફેક્ટરીની અંદર ફસાઈ ગયા હતા.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના અલીપુર વિસ્તારમાં એક પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11 કામદારોના મોત થયા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ 15 ફેબ્રુઆરી સાંજે 5.25 કલાકે લાગી હતી.
આ ફેક્ટરીમાં થીનરના ડ્રમ પણ રાખવામાં આવ્યા હતા, જેના કારણે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ પછી આગ ઝડપથી સામેના ઘરો અને નજીકના નશા મુક્તિ કેન્દ્ર સુધી ફેલાઈ ગઈ હતી. લગભગ 4 કલાકમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
દિલ્હી ફાયર સર્વિસીસ (ડીએફએસ)ના ડાયરેક્ટર અતુલ ગર્ગે પોતાના એક્સ હેન્ડલ પર આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, ડીએફએસના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, 11 કામદારો મૃત્યુ પામ્યા. વિસ્ફોટના કારણે ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી અને કામદારો ફેક્ટરીની અંદર ફસાઈ ગયા હતા અને તેમને બચાવી શકાયા ન હતા.
