પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'વિકસિત ભારત વિકસિત રાજસ્થાન' કાર્યક્રમને સંબોધન
Live TV
-
કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ રૂ. 17,000 કરોડથી, વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'વિકસિત ભારત વિકસિત રાજસ્થાન' કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, "કોંગ્રેસ પાર્ટી વંશવાદની રાજનીતિના દુષ્ટ ચક્રમાં ફસાઈ ગઈ છે અને તેથી જ તે 'મોદી' દ્વારા કહેવામાં આવતી દરેક વાતનો વિરોધ કરે છે. યુવા મતદારો, ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારાઓ દ્વારા આ પ્રકારની રાજનીતિ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.”
કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ રૂ. 17,000 કરોડથી, વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ રસ્તાઓ, રેલ્વે, સૌર ઉર્જા, પાવર ટ્રાન્સમિશન, પીવાનું પાણી અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિતના ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોને પૂરા પાડે છે.
કોંગ્રેસ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે, "કોંગ્રેસનો એક જ એજન્ડા છે, તેઓ મોદી વિરુદ્ધ એવી વાતો ફેલાવે છે, જે સમાજમાં ભાગલા પાડે છે. આજે બધા કોંગ્રેસ છોડી રહ્યા છે, ત્યાં એક જ પરિવાર દેખાય છે.”
રાજસ્થાનમાં પેપર લીક કેસમાં, એસઆઈટીની રચનાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, "કેન્દ્ર સરકાર યુવાનોને આનાથી બચાવવા માટે કાયદો લાવી છે. હવે સંગઠિત રીતે પેપર લીક કરનારા લોકોમાં ભય રહેશે.”
કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં મુખ્ય હરીફ પક્ષ કોંગ્રેસની કાર્યશૈલીની ટીકા કરતાં તેમણે કહ્યું કે, "પક્ષમાં દૂરગામી વિચારસરણી અને સકારાત્મક નીતિઓનો અભાવ છે. પાર્ટી પાસે ક્યારેય ભવિષ્ય માટેનો રોડમેપ નહોતો. આ કારણોસર, દેશ વર્ષોથી પાવર સેક્ટરમાં ઘણો પાછળ રહી ગયો છે. તેમની સરકારના પ્રયાસોને કારણે આજે દેશ વીજળી ઉત્પાદનના ક્ષેત્રમાં વિશ્વનો અગ્રણી દેશ બની ગયો છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, "વિકસિત ભારત દ્વારા તેમની સરકાર યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોને સશક્ત બનાવવાનો પ્રયાસ કરી રહી છે."
