દિલ્હી સંસદ પર થયેલા આતંકી હુમલાને આજે પૂર્ણ થયા 22 વર્ષ
Live TV
-
દિલ્હી સંસદ પર થયેલા આતંકી હુમલાના આજે 22 વર્ષ પૂર્ણ થયા છે. 22 વર્ષ પહેલા 13 ડિસેમ્બર 2001માં સંસદ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જો કે ભારતીય જવાનોએ પોતાના શૌર્ય અને પરાક્રમથી આતંકીઓના મનસૂબાને નાકામ કર્યો હતો.
આતંકવાદીઓ સાથે અથડામણમાં કેટલાય જવાનો શહીદ થયા હતા. ત્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ મોદી, લોકસભા અધ્યક્ષ સહિત કેન્દ્રીય મંત્રી અને સાંસદોએ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો બીજી તરફ સંસદના સત્રની શરુઆતમાં આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
