દુબઈ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ગવર્નન્સ સમિટને સંબોધિત કરી
Live TV
-
આજે દુબઈમાં વર્લ્ડ ગવર્નન્સ સમિટને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જ્યારે આપણે આપણા દેશમાં પરિવર્તન કરી રહ્યા છીએ ત્યારે શું વૈશ્વિક ગવર્નન્સ સંસ્થાઓમાં પણ સુધારો ન કરવો જોઈએ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આપણે વિકાસશીલ વિશ્વની ચિંતાઓ અને વૈશ્વિક નિર્ણય લેવામાં ગ્લોબલ સાઉથની ભાગીદારીને પ્રોત્સાહન આપવું પડશે.
તેમણે ગ્લોબલ સાઉથનો અવાજ સાંભળવાની અને તેમની પ્રાથમિકતાઓને આગળ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્રિપ્ટોકરન્સી અને સાયબર ક્રાઈમ જેવા ઉભરતા પડકારો માટે વૈશ્વિક પ્રોટોટાઈપ બનાવવાની છે. તેઓએ વિકાસશીલ દેશોના રાષ્ટ્રીય સાર્વભૌમત્વને પ્રાધાન્ય આપવાની અને આંતરરાષ્ટ્રીય કાયદાની ગરિમા જાળવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
અગાઉ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુબઈમાં UAEના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણ પ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે પહેલાથી જ મજબૂત ભાગીદારીને વધુ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં 'બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા' (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કરશે. અબુધાબીમાં આ પહેલું હિન્દુ મંદિર છે. પ્રધાનમંત્રીએ UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મંદિરના નિર્માણ માટે જમીન પ્રદાન કરવામાં વ્યક્તિગત સમર્થન અને ઉદારતા બદલ આભાર માન્યો હતો.
