દેશના પ્રથમ પ્રધાનમંત્રીની જન્મજયંતિ અને બાળ દિવસ 2020
Live TV
-
બાળ દિવસ 2020 એટલે કે જવાહરલાલ નહેરુની જન્મજયંતિનો દિવસ છે. જવાહરલાલ નહેરુના બાળપ્રેમને કારણે આ દિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશના પહેલા પ્રધાનમંત્રીના નિધન બાદ બાળકોમાં તેમની લોકપ્રિયતા ધ્યાનમાં લેતા સંસદમાં દેશના પ્રથમ વડા પ્રધાનને યોગ્ય વિદાય આપવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં તેમના જન્મદિવસ એટલે કે, 14 નવેમ્બરના રોજ બાળદિન તરીકે ઉજવવામાં આવશે। આજે પ્રધાનમંત્રીએ દેશના પ્રથમ પ્રધાનમંત્રીને તેમના જન્મદિન પર શ્રદ્ધાંજલિ અર્પિત કરતી ટ્વિટ પણ કરી છે.
