દેશભરમાં પારસીઓના નવવર્ષ પતેતીની ઉજવણી, PM મોદીએ પાઠવી શુભેચ્છા
Live TV
-
કોરોનાની સ્થિતિને જોતા ઘરમાં રહી લોકોએ પાઠવ્યા નવરોઝ મુબારક
રાજ્ય સહિત દેશભરમાં ખુણે ખૂણામાં વસી રહેલો પારસી સમુદાય પતેતી પર્વની ઉજવણી કરી રહ્યો છે. પતેતી પર્વ પારસી સમાજ માટે આનંદ અને ઉલ્લાસનું પર્વ છે. નવસારી સહિત સમગ્ર રાજ્યમાં વસતા પારસી સમુદાય દ્વારા , આ પર્વની શ્રદ્ધાપુર્વક ઉજવણી થતી હોય છે.
જોકે કોવિડ- 19ના કારણે નવસારીના પારસી સમુદાય અગિયારીમાં જવાનું ટાળીને ઘરમાં જ રહીને 'યઝદે હિજરી' 1390 ના વર્ષની ઉજવણી કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નવસારીને પારસી સમુદાયે વસાવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પતેતી પર્વે શુભેચ્છા પાઠવી છે.
