વૈષ્ણોદેવીની યાત્રા આજથી શરૂ, રિપોર્ટ નેગેટિવ આવે તેને જ અપાશે પરમિશન
Live TV
-
કોરોના વાયરસની મહામારીને ધ્યાનમા રાખી માતા વૈષ્ણોદેવી તીર્થયાત્રાને 18 માર્ચે બંધ કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરની ધર્મનગરીમાં ત્રિકુટા પર્વતમાં માતા વૈષ્ણોદેવીની પવિત્ર ગુફાની યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે.
યાત્રા દરમ્યાન તીર્થયાત્રીઓએ પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે. તીર્થયાત્રીઓને ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉપરાંત તીર્થયાત્રીઓને માટે માસ્ક, ફેસ કવર પહેરવું ફરજિયાત રહેશે. પ્રવેશ ગેટ પર થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. જો કે 10 વર્ષથી નાની ઉંમરના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવી છે.
રિપોર્ટ નેગેટિવ હોય તેવા લોકોને જ ભવનમાં જવાની પરમિશન આપવામાં આવશે. ઘોડા, પિઠ્ઠુ અને પાલખીને પરમિશન અપાશે નહીં.
