દેશમાં અત્યાર સુધીમાં કુલ 23 લાખ 28 હજારથી વધુ લોકોને અપાઈ કોવિડ રસી
Live TV
-
દેશમાં અત્યાર સુધીમાં કુલ 23 લાખ 28 હજારથી વધુ લોકોને કોવિડ રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ દર્દીઓ સાજા થતાં સાજા થવાનો દર 96.91 ટકા પર પહોંચી ગયો છે. મંત્રાલયે કહ્યું કે આ રોગમાંથી એક કરોડ ત્રણ લાખ 72 હજારથી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. કોવિડનાં સક્રિય કેસ દેશમાં સતત ઘટતા રહ્યા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 70 હજાર 856 છે જે કુલ સકારાત્મક કેસોનાં માત્ર 1.65 ટકા છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, દેશભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 123 લોકોનાં મોત થતા કુલ મૃત્યુઆંક એક લાખ 53 હજાર 885 થયો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદે જણાવ્યું છે કે વિવિધ પ્રયોગશાળાઓએ છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસનાં નમૂનાઓનાં સાડા પાંચ લાખથી વધુ પરીક્ષણો કર્યા છે અને દેશમાં અત્યાર સુધીમાં 19 કરોડ 36 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે.
