દેશમાં કોરોનાનો રિકવરી રેટ 91.54 ટકા, મૃત્યુદર 1.49 ટકા
Live TV
-
કોરોના મહામારી વિરુદ્ધ સરકારે લીધેલા અસરકાર પગલાને કારણે, સારા પરિણામો મળી રહ્યા છે.
કોરોના મહામારી વિરુદ્ધ સરકારે લીધેલા અસરકાર પગલાને કારણે, સારા પરિણામો મળી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યાં અનુસાર , દેશમાં કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે ધીમો પડી રહ્યો છે. ત્રણ મહિનામાં પહેલી વખત સક્રિય કેસ 5 લાખ 70 હજાર થયો છે. દેશમાં હાલ કુલ 5લાખ 70 હજાર 458 સક્રિય કેસો છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 46 હજાર 964 કેસ નોંધાયા છે., જ્યારે વધુ 470 લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ 58 હજાર 684 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયાં છે. અત્યાર સુધીમાં સાજા થયેલાં દર્દીઓની સંખ્યા 74 લાખ 91 હજાર 513 થઈ છે., આમ રિકવરી રેટ પણ વધીને ,91.54 ટકા થયો છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યામા, 81 લાખ84 હજાર 83 પર પહોંચી છે. અને મૃત્યુઆંક ,1 લાખ 22 હજાર 111 થયો છે. આમ કોરોનાનો મૃત્યુદર ઘટીને ,1.49 ટકા થઈ ગયો છે
