દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 75.27 ટકા, મૃત્યુ દર 1.85 ટકા પર
Live TV
-
કોરોનાને નિયંત્રણમાં લેવા દેશભરમાં કોવિડ ટેસ્ટિંગની રફ્તાર વધી રહી છે. દેશમાં રીકવરી રેટ 75.27 ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 57હજાર 469 દર્દીઓ સાજા થયા છે. જેથી સાજા થયેલા દર્દીની સંખ્યા 23લાખ38હજારથી વધી ગઇ છે. ICMR અનુસાર હાલ દેશમાં કુલ સક્રીય કેસ 7લાખ10હજાર771 છે. મૃત્યુદર પણ ધટીને 1.85 ટકા થયો છે. વિશ્વમાં આ મૃત્યુદર સૌથી નીચો છે. વીતેલા 24 કલાકમાં 836 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં વીતેલા 24 કલાકમાં છ લાખથી વધુ કોવિડ ટેસ્ટ થયા હતા. દેશમાં અત્યારસુધીમાં 3કરોડ 59લાખ 2હજાર137 ટેસ્ટ થઇ ચુક્યા છે. તપાસ માટે દેશમાં લેબની સંખ્યા પણ વધીને 1 હજાર 520 થઇ છે. આ પૈકી 984 સરકારી અને 536 ખાનગી લેબ છે.
