દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 91.15 ટકા, મૃત્યુ દર 1.50 ટકા
Live TV
-
કોરોના મહામારી વિરુદ્ધ સરકારે લીધેલા અસરકાર પગલાને કારણે સારા પરિણામો મળી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યાં અનુસાર દેશમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોમાંથી હાલ સુધી 73 લાખથી વધુ નાગરિકો સ્વસ્થ થઇ ચુક્યા છે.
કોરોના મહામારી વિરુદ્ધ સરકારે લીધેલા અસરકાર પગલાને કારણે સારા પરિણામો મળી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યાં અનુસાર દેશમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોમાંથી હાલ સુધી 73 લાખથી વધુ નાગરિકો સ્વસ્થ થઇ ચુક્યા છે. જેથી રીકવરી રેટ વધીને 90.99 ટકા થઇ ગયો છે. જયારે મૃત્યુ દર ઘટીને 1.50 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 57 હજાર 859 લોકો કોરોનાને માત આપીને સાજા થયાં છે. જ્યારે વધુ 48 હજાર 762 લોકો કોરોના સંક્રમિત ઉમેરાયા છે. અને વધુ 562 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ કેરળમાં 7 હજાર 20 કેસ નોંધાયા છે. ત્યાર બાદ મહારાષ્ટ્રમાં 5 હજાર 902 કેસ નોંધાયા છે. આ ઉપરાંત દિલ્હીમાં 5 હજાર 739 કેસ,. કર્ણાટકમાં 4,025., પશ્ચિમ બંગાળમાં 3,989., આંધ્રપ્રદેશમાં 2,905., કેસ નોંધાયા છે
